" પ્રેરણાની પતવાર "
એક ભાઇએ માટીની ઢીંગલીને આગમાં તપાવી અને લાકડાની ઢીંગલીને પાણીમાં પલાળી પરિણામે બંને ઢીંગલીઓ મજબુત બની પણ બીજા ભાઇએ આથી ઉલટું કર્યુ એણે માટીની ઢીંગલીને પાણીમાં પલાળી અને લાકડાની ઢીંગલીને આગમાં નાખી પરિણામ એ આવ્યું કે એક ઓગળી ગઇ અને બીજી બળી ગઇ.
ભગવાને પણ દરેક ને જુદી જુદી ક્ષમતા આપી છે. કોઇને માટીની તો કોઇને લાકડાની ઢીંગલી બનાવી છે પ્રભુએ. હવે આપણે કઇ ઢીંગલી છીએ એ આપણે નક્કી કરવાનું છે. આપણે માટીની ઢીંગલી હોઇશુ અને પાણીમાં પડીશું તો ઓગળી જઇશુ અને લાકડાની ઢીંગલી હોઇશું અને આગમાં પડીશું તો બળી જઇશું.
મતલબ કે આપણી રસ અને રુચી મુજબના કાર્યક્ષેત્રમાં જ આગળ વધવું લોકો કહે એમ નહી આપણી ક્ષમતા હોય એમ કારકીર્દી નક્કી કરવી જોઇએ
( શૈલેષ સગપરિયા દ્વારા સંકલીત પુસ્તક " પ્રેરણાની પતવાર " માંથી )
Comments
Post a Comment